Tuesday, September 23, 2014

ભારત મા ધનવાન અને પ્રસીધ્ધ લોકો માટે કાયદો નરમ શા માટે?

કાયદા ધનવાન અને પ્રસીધ્ધ લોકો માટે નરમ છે, કેમ કે લોક્તંત્ર ના દરેક પાયા કાચા છે. જેના મુળભુત કારણ નીચે મુજબ છે.

(૧)
     ભારત એ જ કાયદા અમલ મા છે જે અંગ્રેજો દ્વારા બનાવવા મા અવ્યા હતાહતા.
અંગ્રેજો એ એવા કાયદા એ પ્રમાણે બનાવ્યા જે અંગ્રેજ અધીકારી ,તેમની કમ્પની અને એમના વફાદાર સેવકો નુ હીત સચવી તેમને કાયદાકીય રીતે બચાવી શકાય.
     આજાદી પછી પણ કાયદા એ જ ચાલે છે તો પરીસ્થીતી પણ એ જ છે. છે.ચુટાયેલા નેતા અને ઉચ્ચ હોદ્દા ના અધિકારી મનફાવે તે કરે છે. કોઇ તેમનુ કૈ કરી શકતુ નથીનથી.
     કેમ કે કયદા મા તેમના માટે છટ્કબારી છે.
નવુ લોક્પાલ બીલ પણ તેમાથી બાકાત નથી.

(૨) 
    અમેરીકા એ બંધારણ ના પેહલા સુધારા સાથે જ અમેરીકા ના તમામ નાગરીકો ને મુળભુત અધીકારો આપી દીધા હતા અને ખરા અર્થમા પ્રજા ના હાથ મા સત્તા સોપી. એથી ઉલટુ ભારત મા બંધારણ મા પેહલા જ સુધારા સાથે જ નાગરીકો ના હાથમાથી તમામ સત્તા છીનવી લેવામા આવી. 
    હવે પ્રજા (નાગરીકો) ફક્ત એક દિવસ ના રાજા હોઇ છે જે દિવસે એ નક્કી કરે છે કે આવતા પાંચ વરસ આપણી ઉપર કોણ રાજ કરશે. જેને આપણે ચુટણી કહીયે છે.

(૩)
    આજાદી પછી ભારત ને ભાષા ના આધાર ઉપર વહેચવા મા આવ્યો.આથી સ્વાભાવીક રીતે જ જાતી,ધર્મ અને વર્ણ મા પણ ભારત વહેચાય ગયો. જેથી નેતાઓ માટે એ વોટ્બેંક બની ગયો. હુ મારી જાતી કે ધર્મ ના જ વ્યક્તી ને વોટ આપીશ ભલે ને પછી એ ગુંડો, બલાત્કારી હોઇ. હોઇ.એ મારા ધર્મ અને જાતી ની તો રક્સા કરશે, પછી ભલે એ માનવ અધીકારો ની વિરુધ્ધ હોઇ.

(૪)
 ન્યાયીક વ્યવસ્થા મા સુધારો, કોઇ નહી.
 ન્યાયાધીશો ની સંખ્યા પણ વસ્તી વધારો જોતા ઘણી જ ઓછી છે.
અદાલતો ની સંખ્યા પણ ઘણી જ ઓછી છે વસ્તી ના સંદર્ભ મા.
ન્યાયાધીશો 1 વરસ મા જેટલી રજા માણે છે એમા કોઇ કાપ નથી.
એક અથવા બીજા કાયદાદ્વારા પણ તેઓ ચુટાયેલા અને સરકાર મા બેઠેલા નેતાઓ ની દેખરેખ મા જ કામ કરે છે.
છે.
બંધારણ મા ન્યાયાધીશો ને એટ્લો  અધીકાર નથી કે તેઓ આર્મી ને પોલીસ વીરુધ્ધ કોઇ પગલા લેવા કહી શકે.
ન્યાય ના ભણતર ,ડીગ્રી,ડીગ્રી,કે ગુણવત્તા મા કોઇ સુધાર નથી. 
અરે! મીડલ ક્લાસ ફેમેલી નો વકીલ પણ સીધો સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટ મા એપ્રોચ નથી કરી શકતો.

(૫)
 કોઇ પણ ઉચ્ચ અધીકારી ને ભારે દંડ ની સાથે જવબદારી આપવી જોઇએ, પણ એવી કોઇ સુવીધા બંધારણ મા નથી.

(૬)
જ્યારે કાયદા નો અમલ કયદા ને તોડી મરોડી ને કરવા મા આવે એવા સંજોગો મા કોઇ મોટા દંડ ની જોગવાય નથી. અરે! આપણે ત્યા તો નાના નાના કામો મા જ્યારે યોગ્ય પધ્ધ્તીસર કાયદા નુ પાલન ના થાય ત્યા તો કોઇ દંડ ની જોગવાઇ પણ નથી.
બધુ નૈતીકતા ઉપર નીર્ભર છે. પણ આ શબ્દો તો લાગે છે ખાલી પુસ્તકો મા જ રહી ગયા છે.

(૭)
ભારત મા લિમીટેડ ડેમોક્રેસી(લોક્તંત્ર) છે ..મોટાભાગ ના લોકો ને તો એનો અર્થ પણ ખબર નથી.

(૮)
ધનવાન લોકો ને કાયદા નો ભય નથી.
ફક્ત પ્રમાણીક માણસ જ કાયદા થી ડરે છે.
દરેક પૈસદાર લલ્લુ પંજુ જાણે છે કે દરેક ગેર્કાયદેસર કામ ભવિષ્ય મા કાયદેસર થય જશે.
ઉદાહરણ તરીકે :  કોઇ બિલ્ડરે ગેરકાયદેસર કોઇક જમીન ઉપર ગેરકાયદેસર બિલ્ડીંગ કે એપાર્ટ્મેંટ બનાવી દીધો , તો ૯૯.૯૯% કેસ મા કોઇ સરકારે એજંસી એને જમીનદોસ્ત નહી કરે.અને જો એવુ કરવાનો પ્રયત્ન કરે તો કોર્ટ માથી એક અથવા બીજા કાયદા ના લૂપહોલ્સ નો ઉપયોગ કરી તેના ઉપર સ્ટે નો ઓર્ડર મળી જશે.અને એક દિવસ તે બિલ્ડીંગ કે એપાર્ટ્મેંટ ગેરકાયદેસર માથી કાયદેસર થય જશે.

(૯)
ખોટા અફીડેવીટ્ કરો :કોઇ સજા નઈ.
ગવર્મેંટ ઓફિસ માથી અગત્ય ની ફાઈલ ચોરાય જાય: કોઇ સજા નઈ.
ગેર્કાયદેસર બાંધકામ : કોઇ સજા નઈ.
પોલીસ સ્ટેશન માંથી ગવાહો ના અસલ સ્ટેટ્મેંટ ખોવાય જાય : કોઇ સજા નઈ.
કોર્ટ કે હાઈકોર્ટ ના હુકમ ની અવમાનના : કોઇ સજા નઈ (ખાલી નવો કેશ લડ્વો પડે)

શોધીયે તો આવા હજારો કારણો મળી જાય. જેના કારણે સમાન્ય માણસ કાયદા થી ડરે છે અને નેતા અને અમીર લોકો તેનો દુરુપીયોગ કરી ભારત દેશ નો આભાર માની જિંદગી ની મોજ માણે છે

No comments:

Post a Comment