Wednesday, November 5, 2014

મહાસત્તા ? કઈ રીતે, ક્યારે?

મહાસત્તા ? કઈ રીતે, ક્યારે?

- મેઇક ઇન ઇન્ડિયા... મેડ ઇન ઇન્ડિયા અને ગ્રાઉન્ડ રિયાલિટી



- ભારત બિઝનેસ કરવાની અનુકૂળતાની રીતે વિશ્વમાં ૧૪૨મા ક્રમાંકે સંશોધન અને ટેકનોલોજીની રીતે વિશ્વની ટોચની કંપનીઓમાં ભારત ૧થી ૪૦માં ક્યાંય નહીં ઃ વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ યુનિવર્સિટીની યાદીમાં પણ ભારતને નો એન્ટ્રી
- આપણે તત્ત્વજ્ઞાન, મોટિવેશન અને મોક્ષની વાતોમાં જ એક્કા
- આવડો મોટો દેશ પણ વિશ્વમાં એક પણ સંશોધિત પ્રોડક્ટ કે ટેકનોલોજી નહીં!


ભારત સરદાર પટેલની જયંતિ નિમિત્તે 'એકતા દોડ'માં વ્યસ્ત હતું તે અરસામાં ગયા અઠવાડિયે બે એવા આંતરરાષ્ટ્રીય રિપોર્ટ બહાર પડયા જે ભારત ૨૦૨૦ કે ૨૦૩૦ સુધીમાં મહાસત્તા બનશે તેવી ગુલબાંગોના ગુબ્બારામાંથી હવા કાઢી નાખે તેવા છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે અન્ય દેશોની નજરે બિઝનેસ કરવાની અનુકૂળતાની રીતે ભારત છેક ૧૪૨મા ક્રમે આવ્યું છે. તે પછીના દિવસે પડતા પર પાટુ લગાવતો બીજો રિપોર્ટ ૨૯ ઓક્ટોબરે બોસ્ટન કન્સલ્ટીંગ ગુ્રપનો બહાર પડયો. તેઓએ વર્ષ ૨૦૧૪ની વિશ્વની ટોચની એવી ૫૦ કંપનીઓની યાદી જાહેર કરી છે જેઓ વિશ્વને ૨૧મી સદીને અનુરૃપ આકાર આપવા માટે સતત નવી ટેકનોલોજી ભેટ આપતા રહે છે. આવી ૫૦ ટોપ ઇનોવેટિવ એન્ડ રિસર્ચ કંપનીઓમાં ભારતની એકમાત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટી.સી.એસ.)ને જ અને તે પણ છેક ૪૩મા ક્રમાંકે સ્થાન મળ્યું છે.
જરા વિચારો ભારતની કઈ પ્રોડક્ટનું વિશ્વમાં બજાર છે ? ઓટોમોબાઇલ, મેડિકલ, ફાર્મા, ફૂડ ચેઇન, ગાર્મેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, ઇલેક્ટ્રીક ગેજેટ્સ, કમ્યુનિકેશન્સ, ઓનલાઇન રીટેઇલ ચેન, પેટ્રો- કેમિકલ્સ, ઇ કોમર્સ, શૂઝ, સોફ્ટ ડ્રીંક્સ, હાર્ડવેર, સોફ્ટવેર, બેન્કિંગ, વિમાનો, એરલાઇન્સ, ફાર્મા, ચોકલેટ- કોફીથી માંડીને તમામ ખાદ્ય કે પ્રોસેસ્ડ આઇટમ અને અન્ય લોજીસ્ટીક, સર્વિસીસ અને ઇન્ફ્રા સ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોના સથવારે આપણે વિશ્વ પરોઢનું પહેલું કિરણ રોજેરોજ ઝીલતા  હોઇયે છીએ. જીવનમાં આપણે આરોગ્ય- સુખ- સુવિધા, રોજી રોટી અને અસ્તિત્વનો અહેસાસ આવા સતત સંશોધન અને અપડેટ ટેકનોલોજીની કૃપાથી અનુભવી શકીએ છીએ. કમનસીબે ભારતમાં માનવીના મૃત્યુ પછી મોક્ષ માટેનો વાણી-વિલાસ કે કર્મકાંડ થાય છે તેટલો પ્રયત્ન વિશ્વને ઉદાત્ત જીવન આપવા માટે નથી થતો. પાણી માટેના બોર, ડેમ, હેવીવેઇટ મશીનો, પુલ, રેલ, એરલાઇન્સનું ઇન્ફ્રા સ્ટ્રક્ચર હોય કે દવા, સર્જરી, ટેકનિકનું અપડેટ સંશોધન હોય બધું જ વિદેશને આભારી છે. પેઇન કિલર, પેનેસિલિન, એક્સ-રે, એમઆરઆઇ જુદા જુદા તબીબી પરીક્ષણો કરવાના સાધનો, એક પછી એક રોગોને નાબૂદ કરવા માટેની દવાઓ અને રસીઓ શોધવાનો યજ્ઞા પણ મહદઅંશે વિદેશી કંપનીઓ અને સંશોધકોને આભારી છે.
સતત નવી ટેકનોલોજીથી સજ્જ કારની ડિઝાઇન પણ વિદેશમાં તૈયાર થતી રહે છે. રોડ, રેલ કે એરની દુનિયાની હરણફાળ  નજર સામે જ છે. મોબાઇલ અને કોમ્પ્યુટર પર નજર માંડો ને કૃષિ અને ઉદ્યોગોને પણ છ અબજથી વધુની વિશ્વ વસ્તી સુધી પહોંચે તે માટે અવનવા સંશોધનો સાંપડયા છે. ઓનલાઇન અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સના પાયામાં વિદેશી કંપનીઓ છે. આપણે શૃંગાર રસમાં ગળાડૂબ રહીને 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની'ના અતિરેક કરતા રહ્યા. ભૂતકાળના ભવ્ય વારસાની બડાશમાંથી બહાર નથી આવતા પણ ખરેખર તો તમે સવારે ટુથબ્રશ કરો અને રાત્રે ઇલેક્ટ્રીક બલ્બ કે ટયુબ લાઇટ (હવે તો એલઇડી)ના અજવાળે પંખા કે એ.સી.ની સંગાથ ટી.વી.જુઓ, અભ્યાસ કરો તેવા દિવસથી રાત્રિ ઘેર, ધંધે કે ઓફિસમાં જે પણ નાની- મોટા ચીજ-વસ્તુ, ઉપકરણ કે સેવાનો સહારો લો છો તે પ્રોડક્ટનો સિદ્ધાંત કે સંશોધન કયા દેશનું છે તે વિચારશો તો તેમાં ભારત નહીં હોય. યાદ રહે ભારતની કંપનીની ચીજ-વસ્તુ હોય તે રીતે નથી જોવાનું જે તે સિદ્ધાંતને આધારે સંશોધન કરીને તૈયાર થતી ડિઝાઇન અને પ્રોડક્ટ માટેની વિદેશ વિશ્વને ભેટ આપે છે. આપણે તો તેની ડિઝાઇન અને પૂર્જા પ્રમાણે તે પછી ઉત્પાદિત કરીએ છીએ એટલે કાં તો ભારતની કોઈ કંપની વિદેશની આવી કંપની જોડે જોડાણ કરશે. ઘણા ખરા સંજોગોમાં તો જે તે શોધક વિદેશી કંપની જ તેની રીતે વિશ્વ બજારમાં તેમની પ્રોડક્ટ- સેવા આપતી હશે. આપણે તેના વિતરક ક પ્રોટોટાઇપ ઉત્પાદક હોઈશું. જે તબીબ બાયપાસ સર્જરી કે ઘૂંટણ રીપ્લેમેન્ટની કે જે પણ સર્જરી કરતા હોય તે સૌથી પહેલા કોઈ અમેરિકા, યુરોપ વગેરે દેશોના તબીબી સંશોધકોએ વિશ્વ સમક્ષ ભેટ ધરી હોય છે. તે પછી ભારત સહિત અન્ય દેશોના તબીબો તેની ટ્રેનિંગ લઈને હસ્તગત કરે છે. તે રીતે જોઈએ તો અદ્યતન મેડિકલ સાધન- સરંજામ કે કે ટેકનોલોજી તો ભારત માટે દૂરની વાત છે. થર્મોમિટર, બી.પી. માપવાનું મશીન, બ્લડ યુરિન કે ડાયાબિટીસ ટેસ્ટના શોધક પણ આપણે નથી. આમ છતાં પશ્ચિમી દેશોને ભાંડતા રહીને આપણે સનાતન સંસ્કૃતિની જ હાંકે રાખીએ તે નર્યો દંભ કહેવાય આવું દવા, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમજવું.
માનવ ઉત્થાન, ભૌતિક જગત અને સુખના સ્રોત્રોની રીતે એમ કહી શકાય કે, 'જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની (વિદેશની)' હા, અમેરિકા, યુરોપના વગેરે દેશોમાં સ્થાયી થયેલા ભારતીયો આવી ટેકનોલોજી અને સર્વાંગી સંશોધનમાં ઉદાહરણીય યોગદાન આપે છે. હવે ભારતના વડાપ્રધાન મોદીએ 'મેઇક ઇન ઇન્ડિયા'નો નારો ગૂંજતો કર્યો છે પણ વિશ્વ ભારતની શોધ- સંશોધન કે નોલેજનો ઉપયોગ કરે તે માટેના 'મેડ ઇન ઇન્ડિયા'નો નારો પણ એટલો જ જરૃરી છે. એપલ, ગુગલ, આઇબીએમ, ફેસબુક (વોટ્સ એપ), માઇક્રોસોફ્ટ, સેમસંગ, એલજી, સોની જેવા મનોરંજનના ઉપકરણો બનાવતી કંપની, ઓટો કંપની, ઇલેક્ટ્રીક, ફૂડ, કન્ઝ્યુમર પ્રોડક્ટસની કંપની, ફાર્મા કંપની, હેલ્થ, પેટ્રોલિયમ કંપની, વિમાન, ફૂડચેઇન, ઓઇલ કંપનીઓથી આપણું જીવન કેટલું સુખદ, સામાજિક અને ઉન્નત થઈ જાય છે.
હા, વ્યક્તિની જરૃરિયાત ઓછી વધતી કે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે પણ ભારતે વિશ્વને એવી પ્રોડક્ટ કે સંશોધન નથી પેદા કર્યું કે તેની વિશ્વ માનવીને માંગ હોય. (મહેરબાની કરીને અહીં યોગા, મેડિટેશન, વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ, સુખની અનુભૂતિ અને સાક્ષાત્કારની વાત ના છેડવી તમારે લેખનો મર્મ સમજવાનો છે.)
નિશાન આપણી બેકાર શિક્ષણ પદ્ધતિ, નૈતિકતા આપણને શું મળે ? આપણે શું કામ મહેનત કરવી ? વિદેશીઓની શોધ- સંશોધન કરશે તે ફોર્મ્યુલા, ડાય ફ્રેમ કે બીબા કે એસેમ્બલીંગ કરીને પ્રોડક્ટ બનાવવા માંડવું એવી મથરાવટી પર તાકવાનો અહીં પ્રયત્ન છે. આપણો દંભ પણ અહીં એટલો જ જવાબદાર છે ઓલિમ્પિકના મેડલ મેળવવામાં પણ 'ઢ' અને શોધ- સંશોધનમાં પણ તેવા જ.
આપણે દેશી- વિદેશી કંપનીઓને સ્ટાફ પૂરો પાડતું શિક્ષણ જ ધરાવીએ છીએ. અગાઉના વર્ષોમાં સરકારી બાબુઓ અને હવે ખાનગી કંપનીઓના સોફિસ્ટીકેટેડ બાબુ પેદા કરીએ છીએ. આપણી શાળા- કોલેજો અને યુનિવર્સિટીઓ માફિયા જેવા તત્ત્વોના હાથમાં સરકતી જાય છે. શિક્ષણ, આરોગ્ય નર્યો ધંધો જ બની ચૂક્યું છે. સંશોધન માટે નાણાં ફાળવવા સાથે તપશ્ચર્યા કરવી પડે. કોર્પોરેટ જગતે અબજોના દાન અને સરકારે બજેટમાં જંગી રકમ સંશોધન માટે  ફાળવવી પડે. માત્ર મોટીવેશનની બડી બડી વાતો કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના ગીતાજ્ઞાાનની છાયામાંથી આ બધું નથી થતું. દેશમાં ખમીર અને મિજાજ જોઈએ. લઘુતાગ્રંથિથી પીડાઈને તે પછી ગુરૃતા મેળવી શકાય આપણને તો શરમ જ નથી. આપણે શૂન્ય શોધેલું અને વિમાન ઉડ્ડયન હજારો વર્ષ પહેલાં થયેલું. ભારત સર્જરી ચિકિત્સાનું પ્રણેતા છે તેવા અવશેષોની ફાઇલ બતાવવાથી વર્તમાનનું શું ?
ભગવાન રામ, શ્રી કૃષ્ણ કે ફલાણા સંત, ગાંધીજી, સરદાર આવા ઉત્કૃષ્ટ હતા અને તેવા મહાન અને દુરંદેશી હતા તો શું ? આપણે ક્યાં ના પાડીએ છીએ. પણ, આપણે તેનો શું ફાયદો ઉઠાવ્યો, કઈ રીતે પ્રેરણા લીધી તે જ વિચારવું જોઈએ. અમેરિકા, યુરોપ, ચીન વગેરે પાસે આવા તત્ત્વજ્ઞાાની અવતાર, સંતો કે મહાપુરુષો નહતા. તમે વિદેશની મુલાકાત લઈને આપણા દેશને મૂલવો તો કેવો લાગે ? 'યુ ટયુબ' પર જઈને વિદેશના કોઇ શહેર કે સીસ્ટમની વર્ચ્યુઅલ ટુર પણ કરી શકો છો. ભારત શોધ- સંશોધનની રીતે વિશ્વની ૫૦ કંપનીઓમાં કમ સે કમ છ- આઠ કંપનીઓ ધરાવતું હોય અને  બિઝનેસ કરવાની રીતે ૧૪૨મા ક્રમે હોય તેની જગ્યાએ ૪૦ની અંદર હશે ત્યારે જ મહાસત્તા બની શકે તે તમે સમજી શકો છો. યાદ રહે ભારતમાં વિદેશી રોકાણ આવે તો આર્થિક સ્થિતિ સુધરે પણ મહાસત્તા માટે શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી, કમ્યુનિકેશન, સ્પોર્ટસ ક્ષેત્રે ભારતની ધાક હોવી જોઈએ. આપણી વસ્તીના મધ્યમ વર્ગીય ૬૦- ૭૦ કરોડ  ગ્રાહકો બનીને તો  વિદેશી કંપનીઓને તગડી કરીશું, ખરેખર તો આપણી પ્રોડક્ટ હોય, વિશ્વના નાગરિકો તેને ખરીદે તે ધ્યેય હોવો જોઈએ. આપણે ટ્રેડિંગ, મેન્યુફેક્ચરીંગ, લેબર અને સર્વિસ પ્રોવાઇડર્સને લગતી પોતિકી વૈશ્વિક પ્રોડક્ટ કે સંશોધન થકી વિશ્વમાં ડંકો વગાડવાનો છે.
વ્યક્તિને સંપ્રદાય કે જાતિ, જ્ઞાાતિ કે ધર્મના કરતા રાષ્ટ્રનું ગૌરવ હોય તો જ આ શક્ય બને અમેરિકા, યુરોપ અને ચીન જેવા કડક કાયદાઓ બનાવીને યોગ્ય વ્યક્તિના હાથમાં જ યોગ્ય સંસ્થા કે કાર્ય હોય તેવી સિસ્ટમ નિર્માણ કરવી પડશે. બાય ધ વે વિશ્વની ટોચની ૧૦૦ યુનિવર્સિટીઓમાં પણ ભારતની એક- બેને માંડ સ્થાન મળે છે અને ૨૦૨૦ સુધીની અપકમિંગ કંપનીઓની બહાર પડેલી યાદીમાં ચીન અમેરિકાને પડકારે તેવી મજબૂત સ્થિતિમાં છે.
gujrat samachar (shatdal)

મન કી બાત, મન કા રેડિયો...




પ્રધાનમંત્રીશ્રીએ આ નવો રીવાજ ચાલુ કર્યો છે. એ હવે રેડિયો પર આવીને 'મનની વાત' કરે છે. (જોકે આ રવિવારે 'મની'ની વાત કરી.)

કહે છે કે આવતા મહિનાના રવિવારે મનની વાતમાં 'નશા'ની વાત કરવાના છે. હવે બોલો, જે માણસ બધાને માત્ર ચા પીવડાવે છે એને 'નશા'માં શું સમજ પડે ?
પણ છોડો, તમને એમ થશે કે યાર, મન્નુભાઈ તો પ્રધાનમંત્રીની પાછળ પડી ગયા છે. એટલે આપણે એમ કલ્પના કરો કે બીજાઓના મનમાં મનની શું વાત ચાલતી હશે ?
* * *
રાહુલ ગાંધી ઃ
''હવે કાશ્મીર અને ઝારખંડમાં ચૂંટણી ? હે ભગવાન, આ ચૂંટણીઓ કદી બંધ નહિ થવાની ?''
* * *
મનમોહનસિંહ ઃ
(એ તો મનની વાત મનમાં જ રાખીને મનમાં ને મનમાં બોલી રહ્યા છે) ''હી હી હી... આ દશેરા વખતે મને કુંભકરણ સપનામાં આવીને પૂછતો હતો કે મનમોહનજી, તમે સળંગ દસ-દસ વરસ લગી શી રીતે ઊંઘી શકો છો ?''
* * *
રોબર્ટ વઢેરા ઃ
''મન કી બાત ? માય ફૂટ ! આઈ ડુ ઓન્લી મની કી બાત.''
* * *
સોનિયા ગાંધી ઃ
''મન કી બાટ ?... ઓ રિયલી ? પિછલે ડસ સાલ સે ટો રિમોટ સે મૈં ને હી ઉસે મ્યુટ કી ઠી... અબી મન કી બાટ કોન લગા રાહા હાય ?''
* * *
આલિયા ભટ્ટ ઃ
''મન કી બાત... અં... આઈ નો... ઈટ્સ અ ટ્રિક ક્વેશ્યન... બટ અભી જમાના મોડર્ન હો ગયા હે. મેં તો ક્વિન્ટલ કી બાત કરુંગી...''
* * *
રજનીકાન્ત ઃ
''મા... ઈન્ડ ઈટ !!''
* * *
બકો ઃ
''જો બકા, મનની વાત મનમાં જ રાખવાની, આપડે કંઈ મોદી નથી.''
* * *
હિમેશ રેશમિયા ઃ
''જોયું ? મારી ફલોપ ફિલ્મ 'મન કા રેડિયો' આખરે નેશનલ હિટ નીકળી ને !''
- મન્નુ શેખચલ્લી

Tuesday, October 21, 2014

હવામાં ગોળીબાર (lalit laad)

આને કહેવાય 'ચુત્સ્પા' !

- હિબુ્ર ભાષાના આ શબ્દના અસલી અર્થને આપણે ક્યારના પચાવી ચૂક્યા છીએ !


આ 'ચુત્સ્પા' એટલે વળી શું ?
ફિલ્મ 'હૈદર'માં એની સંપૂર્ણ સમજૂતી આપી છે. આ હિબુ્ર ભાષાનો એક શબ્દ છે, જેને ઈઝરાયેલના લોકો વારંવાર વાપરે છે. ફિલ્મ 'હૈદર'માં આ શબ્દને સમજાવતાં શાહીદ કપૂર એક કિસ્સો કહે છે ઃ
એક વાર એક જુવાન છોકરાએ એનાં મા-બાપનાં બેરહમીથી ખૂન કરી નાંખ્યા. એ પકડાઇ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. એને ફાંસીની સજા થવાની હતી. ત્યારે એ જુવાન કહે છે 'જજ સાહબ, મુજ પર રહમ કિયા જાય...'
જજસાહબ કહે છે 'તુમ ને બે-રહમી સે અપને માં-બાપ કા કત્લ કિયા હૈ. અબ તુજ પર રહમ કૈસે ?'
જુવાન કહે છે, 'વો યું... કિ મૈં અબ યતીમ હું ! અનાથ હું !'
આને કહેવાય 'ચુત્સ્પા' ! યાને કે હદ વગરની બે-શરમી અને નફ્ફટાઇ.
આપણા દેશમાં તો આવા 'ચુત્સ્પા'ના નમૂના ઠેરઠેર જોવા મળે છે. પરંતુ અમુક કિસ્સાઓ તો શિરમોર છે....
* * *
મકબૂલ ફીદા હુસૈન
જનાબ બહુ ફેમસ પેન્ટર હતા. એક વાર તો મહોત્તરમાં ઈન્દિરા ગાંધીને એમણે દૂર્ગા માતાના સ્વરૃપમાં ચીતરીને ઓલરેડી સરકારની રહેમ-નજર પણ કમાઈ લીધી હતી. પછી કોણ જાણે જનાબ હૂસૈનને શું સૂઝયું તે હિન્દુઓની દેવી સરસ્વતીને નિર્વસ્ત્ર ચીતરી માર્યાં ! દેશભરમાં બહુ મોટો હંગામો ખડો થઈ ગયો. ચારે બાજુથી વિરોધ થયો, પરંતુ જનાબ હુસૈન સાહબને રાતોરાત જે ઈન્ટરનેશનલ પબ્લિસીટી મળી ગઈ એમાં તેઓ બહેકી ગયા. સરસ્વતીજીથી અટકી જવાને બદલે જનાબે પીંછીને એવી જોશભેર ઘૂમાવવા માંડી કે શંકર, પાર્વતી, હનુમાન, રામ, સીતા એવા કંઇક હિન્દુ દેવી-દેવતાઓને બ્રશની હડફેટમાં રંગી નાંખ્યા. જનાબ હુસૈન સાહબની જેટલી ટીકા થતી, એટલી જ એમની હિંમત વધતી ગઈ.
આખરે એક વાર એમણે જોશમાં ને જોશમાં ભારત માતાને પણ ન્યુડ ચીતરી નાંખી ! જનાબે આખરી હદ વટાવી દીધી ત્યારે એમની ઉપર દેશભરની કોર્ટોમાં ડઝનબંધ કેસો થયા. જનાબ હુસૈનમિંયાં હવે દોડતા થઇ ગયા. પણ એમની 'ચુત્સ્પા'ની સ્ટાઇલ જુઓ ઃ સુપ્રીમ કોર્ટને અરજી કરી કે મહેરબાન જજસાહબ, અબ તો મૈં બૂઢા હો ગયા હું ! ઠીક સે ચલ ભી નહીં પાતા ! ઇસલિયે મેરે સારે કેસ એક હી કોર્ટ મેં ચલાયેં જાંયેં...'
નામદાર કોર્ટે એ પણ કરી આપ્યું. એ પછી જનાબ હુસૈન સાહબે નવી ચુત્સ્પાગિરી કરી.. એ દેશ છોડીને દૂબઈમાં જ ઠરીઠામ થઈ ગયા ! વાહ જનાબ વાહ.
દેશ ઉપર સૌથી મોટી ચુત્સ્પાઇ એ થઇ કે જનાબનું જ્યારે મૌત થયું ત્યારે એમને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં એ જ લોકો આગળ પડતા હતા જેમણે હુસૈનને ભાંડવામાં કશું  બાકી નહોતું રાખ્યું !
... આને કહેવાય ટોટલ ચુત્સ્પા !
* * *
માનવ અધિકાર પંચ
માનવ અધિકાર પંચ તો ભારતમાં થતી ચુત્સ્પાગિરીનો રાષ્ટ્રીય મંચ છે !
આતંકવાદીઓ એમની એકે-૪૭ વડે, એમના હેન્ડગ્રેનેડ વડે, કે એમના આરડીએક્સ વડે સામટા ડઝનબંધ નિર્દોષ નાગરિકોને બેરહમીથી રહેંસી નાંખે ત્યારે કોઇ 'માનવ' કોઈ માનવનો અધિકાર એમની નજરે સુદ્ધાં આવતો નથી.
પણ જ્યારે એમાનાં કેટલાક આતંકવાદીઓ જીવતા પકડાઈ જાય છે ત્યારે ખુલ્લમખુલ્લી બેશરમી અને નફ્ફટાઇથી માનવ અધિકાર પંચ આગળ ફરિયાદ કરે છે કે અમારા ગુનાની કબૂલાત કરાવવા માટે પોલીસ 'માનવીય' તરીકાઓ અપનાવતી નથી.
એટલું જ નહિ, જ્યારે એમને સજા ફરમાવવામાં આવે છે ત્યારે પોતાના 'અમાનવીય' ગુનાઓના બદલામાં તેઓ 'માનવીય' વર્તન અને 'માનવ-સહજ' માફી, દયા, રહમ મહેરબાની, કૃપા અને 'વિશેષાધિકાર'ની માગણીઓ કરે છે.
દેશ સાથે સૌથી વધુ ચુત્સ્પાઈ ત્યારે થાય છે જ્યારે માનવ અધિકાર પંચ આવા આતંકવાદીઓની 'સહાય' કરે છે, અને સેંકડો- હજારો નિર્દોષ માનવોની સહાય બાબતે 'નિઃસહાય' બનીને પોતાના હાથ ઊંચા કરી દે છે.
.... આ છે રાષ્ટ્રિય 'ચુત્સ્પા' !
* * *
ચુત્સ્પા કલાકારો
આપણા દેશમાં આ પ્રકારના ચુત્સ્પા-પ્રદર્શનો વારંવાર અને ઠેર ઠેર થતાં રહે છે. એમાં અમુક ચુત્સ્પા કલાકારોની વારંવાર રીપીટ થતી ''ચુત્સ્પા-મેથડો' પણ હવે તો જાણીતી થઈ ગઈ છે. જેમ કે...
- લાખો કરોડોના ભ્રષ્ટાચારમાં નેતાઓ જેલમાં ભરતી થાય તેના ત્રીજા જ દિવસે એને છાતીમાં દુઃખાવો થાય ! નેતાજીની 'સારવાર' માટે ટોટલ ''ચુત્સ્પા-ગિરી'નું પ્રદર્શન કરતી સરકાર એમને તરત જ ફાઇવ-સ્ટાર હોટલમાં ખસેડી આપે છે !
- સહકારી બેન્કના મામૂલી ખાતેદારોની ૭૦૦-૮૦૦ કરોડની રકમનું ફૂલેકું ફેરવનાર શેરબજારના કૌભાંડીને એ રકમ ચૂકવવા માટે દર ત્રણ-ચાર વરસે નવી નવી ''ચુત્સ્પા-મુદતો' મળતી રહે છે. છેવટે, ૧૨-૧૫ વરસ પછી મૂળ રકમનું વ્યાજ પણ બમણું થઈ ગયું હોય ત્યારે 'માંડવાળી' કરવા માટે એને ૧૦૦-૨૦૦ કરોડનું 'પરચૂરણ' જમા કરાવવા માટે વધુ એક ''ચુત્સ્પા-મુદત' આપે છે...
- લઘુમતી કોમનો અભિનેતા હોય, ક્રિકેટર હોય કે નેતા... જ્યારે જ્યારે કાનૂનનો ગાળિયો એના ગળા ફરતે ભીંસાય કે તરત એના ગળામાંથી એક ''ચુત્સ્પા-અવાજ' નીકળે છે ઃ 'હું લઘુમતીનો છું એટલે જ મને નિશાન બનાવવામાં આવે છે...'
- અને આ તમામ કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, ગુનાખોરો અને અંડરવર્લ્ડના બાદશાહો છેવટે પોતાના ગુનાઓથી બચવા માટે રાજકારણની પવિત્ર ગંગામાં કૂદી પડે છે ! ચૂંટણીમાં ઊભા રહે છે... અને ''ચુત્સ્પાગિરી'ની હદ વટાવતા હોય તેમ આપણી આગળ બે હાથ ફેલાવીને વિનંતી કરે છે ઃ
'મુઝે આપ કી 'સેવા' કા ઔર એક મૌકા દિજીયે !'
લાગે છે કે આપણી 'લોકશાહી' ઉર્ફે 'ડેમોક્રસી' ઉર્ફે 'જમ્હુરિયત'ને એક નવું હિબુ્ર નામ આપી દેવાનો સમય આવી પહોંચ્યો છે.

Thursday, September 25, 2014

સત્તા કે સેવા

એક જમાના મા નૈતીકતા માટે જેનો પરચમ વિશ્વભર મા લેહરાતો હતો એ ભારત દેશમાથી લાગે છે નૈતીકતા વિદાય લેવાની તૈયારી મા છે. આજે પોતાના સ્વાર્થ ને સાધવા માટે લોકો કોઇનુ પણ ગમે તેટલી હદે નુકસાન કરવામા પણ પીછેહઠ કરતા નથી, અને એમા પણ સવાલ જો સત્તા નો હોઇ તો તો ભયો ભયો.

આજે મહારાષ્ટ્ર મા જે તમાશો થઈ રહ્યો છે એમા જનતા નુ હિત નહિ પણ પોતની રાજનિતીક મહત્વ્કાંશા ને સિધ્ધ કરવા માટે ની રીતસર ની પડાપડી છે.હુ કોઇ વ્યક્તીગત નામ લઈને કોઇને દોષ આપવા નથી માંગતો , કેમ કે કોઇ પાર્ટી આમાથી બકાત નથી.

એક્તરફ ભાજપ જાણે કે પોતે ૧૦૦ ટકા શુધ્ધ હોઇ એમ સ્પષ્ટીકરણ તેના તરફ થી અપાઈ રહયા છે, અને શિવસેના જાણે કે ટોટલ મહારાષ્ટ્ર ના હિંદુત્વ નો ઠેકો પોતે લિધેલો હોઇ એમ ભાજપ ને બેવફા જાહેર કરી દીધુ. જાણે કે શિવસેના સાથે ગઠ્બંધન તોડ્યુ એટલે હિંદુત્વ ની સાથે દગો કર્યો એવા સ્ટેટ્મેંટ તેના પ્રવક્તા દ્વારા અપાઈ રહ્યા છે. અને એ પણ નેશનલ ન્યુજ ચેનલો ઉપર. અહીયા સવાલ હિંદુત્વ નો કે હિદુઓ નો નથી, પણ સવાલ છે સત્તા પ્રાપ્ત કરાવા નો પણ વોટ મેળવવા પોતાની લાલસા ને હિંદુત્વ નો રંગ આપવા ની ખુલ્લેઆમ કોશીશ થઈ રહી છે.

રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી શિવસેના ના સર્વેસર્વા સામના પત્ર મા અનેકો વખત વંશીય પરમ્પરા માટે કોંગેસ ને આડે હાથ લેતા આવ્યા છે, અને પોતાની પાર્ટી ની વાત એ કરતા નથી. એમની પાર્ટી મા પણ એ જ થવા જઈ રહ્યુ છે . આદરણીય બાલા સાહેબ પોતાનુ જીવન નીડરતા થી જીવ્યા. પોતાના લેખ અને પોતાના વચન દ્વારા પણ તેઓ આજીવન લાખો લોકો ના હ્રીદયસમ્રાટ રહયા . અને શિવસેના ની કમાન તેમણે પોતાના પુત્ર ને સોપી. આજે ઉધ્ધ્વ ઠાકરે પણ તેમના પુત્ર આદીત્ય ઠાકરે ને પ્રમોટ કરી રહ્યા છે. આમા સેવાભાવ ક્યા છે.

બીજી તરફ ભાજપ ને લાગે છે કે લોકસભા મા ભાજપ ને મહારાષ્ટ્ર મા સારુ એવુ સમર્થન મળ્યુ જેથી એને લાગે છે કે મોદી લહેર મા ભાજપ રાજ્ય ચુટણી મા પણ તરી જાય.અને સત્તા નો સ્વાદ ચાખવા મળે.

તો બીજી તરફ NCP અને કોંગ્રેસ મા પણ આજ જપાજપી પછી આ ગઠ્બંધન ના પણ તાર તુટી ગયા.હવે કોંગ્રેસ અને NCP બન્ને અલગ અલગ લડશે.

MNS તો છે જ મેદાન માં જેણે કઈ ગુમાવવા નુ નથી પણ જો થોડીક પણ સીટો જો MNS ને મળી જાય તો તેના માટે મહારાષ્ટ્ર ની રાજનીતી મા નવા દ્વાર ખુલી જશે. અને વાત જો સરકાર બનાવવા મા ટેકા ની આવી તો એનો ફાયદો પણ તેને મળી શકે છે.

આ તમામ મગજમારી મા બિચારી જનતા પીસાવાની છે એ વાત નક્કી છે. કેમકે આ વખતે પંચકોણીય ચુટ્ણી યોજાવાની છે એ વાત લગભગ નક્કી જ છે અને જેમા ચાર દળો એવા છે જેમનુ રાજનીતીક કદ મોટુ છે. જેથી વોટ પન ઘણા વહેચાવાની સંભાવના રહેલી છે. તો મહારાષ્ટ્ર મા પણ દીલ્લીવાળી ના થાય એ જોવાનુ રહ્યુ. 

Tuesday, September 23, 2014

ભારત મા ધનવાન અને પ્રસીધ્ધ લોકો માટે કાયદો નરમ શા માટે?

કાયદા ધનવાન અને પ્રસીધ્ધ લોકો માટે નરમ છે, કેમ કે લોક્તંત્ર ના દરેક પાયા કાચા છે. જેના મુળભુત કારણ નીચે મુજબ છે.

(૧)
     ભારત એ જ કાયદા અમલ મા છે જે અંગ્રેજો દ્વારા બનાવવા મા અવ્યા હતાહતા.
અંગ્રેજો એ એવા કાયદા એ પ્રમાણે બનાવ્યા જે અંગ્રેજ અધીકારી ,તેમની કમ્પની અને એમના વફાદાર સેવકો નુ હીત સચવી તેમને કાયદાકીય રીતે બચાવી શકાય.
     આજાદી પછી પણ કાયદા એ જ ચાલે છે તો પરીસ્થીતી પણ એ જ છે. છે.ચુટાયેલા નેતા અને ઉચ્ચ હોદ્દા ના અધિકારી મનફાવે તે કરે છે. કોઇ તેમનુ કૈ કરી શકતુ નથીનથી.
     કેમ કે કયદા મા તેમના માટે છટ્કબારી છે.
નવુ લોક્પાલ બીલ પણ તેમાથી બાકાત નથી.

(૨) 
    અમેરીકા એ બંધારણ ના પેહલા સુધારા સાથે જ અમેરીકા ના તમામ નાગરીકો ને મુળભુત અધીકારો આપી દીધા હતા અને ખરા અર્થમા પ્રજા ના હાથ મા સત્તા સોપી. એથી ઉલટુ ભારત મા બંધારણ મા પેહલા જ સુધારા સાથે જ નાગરીકો ના હાથમાથી તમામ સત્તા છીનવી લેવામા આવી. 
    હવે પ્રજા (નાગરીકો) ફક્ત એક દિવસ ના રાજા હોઇ છે જે દિવસે એ નક્કી કરે છે કે આવતા પાંચ વરસ આપણી ઉપર કોણ રાજ કરશે. જેને આપણે ચુટણી કહીયે છે.

(૩)
    આજાદી પછી ભારત ને ભાષા ના આધાર ઉપર વહેચવા મા આવ્યો.આથી સ્વાભાવીક રીતે જ જાતી,ધર્મ અને વર્ણ મા પણ ભારત વહેચાય ગયો. જેથી નેતાઓ માટે એ વોટ્બેંક બની ગયો. હુ મારી જાતી કે ધર્મ ના જ વ્યક્તી ને વોટ આપીશ ભલે ને પછી એ ગુંડો, બલાત્કારી હોઇ. હોઇ.એ મારા ધર્મ અને જાતી ની તો રક્સા કરશે, પછી ભલે એ માનવ અધીકારો ની વિરુધ્ધ હોઇ.

(૪)
 ન્યાયીક વ્યવસ્થા મા સુધારો, કોઇ નહી.
 ન્યાયાધીશો ની સંખ્યા પણ વસ્તી વધારો જોતા ઘણી જ ઓછી છે.
અદાલતો ની સંખ્યા પણ ઘણી જ ઓછી છે વસ્તી ના સંદર્ભ મા.
ન્યાયાધીશો 1 વરસ મા જેટલી રજા માણે છે એમા કોઇ કાપ નથી.
એક અથવા બીજા કાયદાદ્વારા પણ તેઓ ચુટાયેલા અને સરકાર મા બેઠેલા નેતાઓ ની દેખરેખ મા જ કામ કરે છે.
છે.
બંધારણ મા ન્યાયાધીશો ને એટ્લો  અધીકાર નથી કે તેઓ આર્મી ને પોલીસ વીરુધ્ધ કોઇ પગલા લેવા કહી શકે.
ન્યાય ના ભણતર ,ડીગ્રી,ડીગ્રી,કે ગુણવત્તા મા કોઇ સુધાર નથી. 
અરે! મીડલ ક્લાસ ફેમેલી નો વકીલ પણ સીધો સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટ મા એપ્રોચ નથી કરી શકતો.

(૫)
 કોઇ પણ ઉચ્ચ અધીકારી ને ભારે દંડ ની સાથે જવબદારી આપવી જોઇએ, પણ એવી કોઇ સુવીધા બંધારણ મા નથી.

(૬)
જ્યારે કાયદા નો અમલ કયદા ને તોડી મરોડી ને કરવા મા આવે એવા સંજોગો મા કોઇ મોટા દંડ ની જોગવાય નથી. અરે! આપણે ત્યા તો નાના નાના કામો મા જ્યારે યોગ્ય પધ્ધ્તીસર કાયદા નુ પાલન ના થાય ત્યા તો કોઇ દંડ ની જોગવાઇ પણ નથી.
બધુ નૈતીકતા ઉપર નીર્ભર છે. પણ આ શબ્દો તો લાગે છે ખાલી પુસ્તકો મા જ રહી ગયા છે.

(૭)
ભારત મા લિમીટેડ ડેમોક્રેસી(લોક્તંત્ર) છે ..મોટાભાગ ના લોકો ને તો એનો અર્થ પણ ખબર નથી.

(૮)
ધનવાન લોકો ને કાયદા નો ભય નથી.
ફક્ત પ્રમાણીક માણસ જ કાયદા થી ડરે છે.
દરેક પૈસદાર લલ્લુ પંજુ જાણે છે કે દરેક ગેર્કાયદેસર કામ ભવિષ્ય મા કાયદેસર થય જશે.
ઉદાહરણ તરીકે :  કોઇ બિલ્ડરે ગેરકાયદેસર કોઇક જમીન ઉપર ગેરકાયદેસર બિલ્ડીંગ કે એપાર્ટ્મેંટ બનાવી દીધો , તો ૯૯.૯૯% કેસ મા કોઇ સરકારે એજંસી એને જમીનદોસ્ત નહી કરે.અને જો એવુ કરવાનો પ્રયત્ન કરે તો કોર્ટ માથી એક અથવા બીજા કાયદા ના લૂપહોલ્સ નો ઉપયોગ કરી તેના ઉપર સ્ટે નો ઓર્ડર મળી જશે.અને એક દિવસ તે બિલ્ડીંગ કે એપાર્ટ્મેંટ ગેરકાયદેસર માથી કાયદેસર થય જશે.

(૯)
ખોટા અફીડેવીટ્ કરો :કોઇ સજા નઈ.
ગવર્મેંટ ઓફિસ માથી અગત્ય ની ફાઈલ ચોરાય જાય: કોઇ સજા નઈ.
ગેર્કાયદેસર બાંધકામ : કોઇ સજા નઈ.
પોલીસ સ્ટેશન માંથી ગવાહો ના અસલ સ્ટેટ્મેંટ ખોવાય જાય : કોઇ સજા નઈ.
કોર્ટ કે હાઈકોર્ટ ના હુકમ ની અવમાનના : કોઇ સજા નઈ (ખાલી નવો કેશ લડ્વો પડે)

શોધીયે તો આવા હજારો કારણો મળી જાય. જેના કારણે સમાન્ય માણસ કાયદા થી ડરે છે અને નેતા અને અમીર લોકો તેનો દુરુપીયોગ કરી ભારત દેશ નો આભાર માની જિંદગી ની મોજ માણે છે

Monday, September 22, 2014

છૂટાછેડાના વકીલ

થોડા વખત પહેલાં એક વકીલ મળી ગયા. એ છૂટાછેડાના સ્પેશિયાલીસ્ટ હતા. ગમે તેવો અટપટો કેસ હોય, પણ એ વકીલ કેસ હાથમાં લે એટલે તમને છૂટાછેડા મળી જ જાય. અમે એમને પૂછ્યું :
‘તમારી પાસે તો જાતજાતના કેસ આવતા હશે નહિ ?’
મને કહે, ‘વાત જ ના પૂછશો. હમણાં જ એક રસોઈયાનો કેસ મારી પાસે આવ્યો છે. તમને ખબર છે એને શા માટે છૂટાછેડા જોઈએ છે ?’
‘શા માટે ?’
‘એની પત્ની ઘરમાં રસોઈ બનાવવાની ના પાડે છે એટલે !’
‘ઓત્તારી ભલી થાય ! એ પોતે તો રસોઈયો છે. પછી વાંધો શું છે ?’
‘બસ, એ જ વાંધો છે ને ? એ રસોઈયો કહે છે કે હું આખો દા’ડો કામ કરીને ઘરે આવું ત્યારે મને ગરમાગરમ ભોજન ના મળે તો લગ્ન કરવાનો મતલબ શો ?’
‘વાત તો સાચી છે.’
‘બીજા એક ટ્રાફિક પોલીસમેનનો કેસ છે. એ કહે છે કે હું મારી બૈરીથી ત્રાસી ગયો છું.’
‘કેમ ?’
‘કહે છે કે આખો દિવસ ઘરમાં ટ્રાફિક કંટ્રોલ જ કર્યા કરે છે.’
‘એમ ? શી રીતે ?’
‘કોઈ વાર કહે છે આ રૂમમાં ‘નો એન્ટ્રી’ છે, આવતા જ નહિ, કારણ કે હમણાં જ પોતું કર્યું છે ! હું આરામથી પાટ ઉપર આડો પડ્યો હોઉં તો સાવરણી હલાવતી આવી પહોંચે છે. કહે છે કે ઊઠો, અહીં ‘નો પાર્કિંગ’ છે ! અને મારે હાથખર્ચીના પૈસા જોઈતા હોય તો એ આપતી જ નથી. કહે છે કે આ ઘરમાં પૈસા માટે ‘વન-વે’ છે !’
અમે હસી પડ્યા, ‘કમાલ છે. પણ તમારી પાસે કોઈ વકીલનો કેસ આવ્યો છે કદી ?’
વકીલ સાહેબનો આખો મૂડ ઊતરી ગયો. ‘જવા દો ને ? મારી વાઈફને જ છૂટાછેડા જોઈએ છે ! પાછી ઉપરથી કહે છે કે તમે જ મારો કેસ લડી આપો !’
‘અરે બાપ રે !’
‘મારી હાલત તો સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે.’
‘કેમ ?’
‘કેસ હારી જાઉં તો ફી જાય અને જીતી જાઉં તો વાઈફ જાય !’
'મનુ શેખચિલ્લી'

Saturday, August 9, 2014

સુખ અને દુખ

સુખ અને દુખ

 

સુખ, આનંદ અને ખુશી સમયમર્યાદા લઈને આવે છે. દુઃખ, ઉદાસી અને નારાજગીના ટાઈમની કોઈ લિમિટ હોતી નથી. સુખ અમુક સમય પછી સરકી જાય છે. ખુશી એક પ્રસંગ કે ઘટના પૂરી થાય એ સાથે ચાલી જાય છે. દુઃખ અને ઉદાસીમાં એવું થતું નથી. એને આપણે ખંખેરવાં પડે છે. જ્યાં સુધી તમે દુઃખ અને ઉદાસીથી પીછો ન છોડાવો ત્યાં સુધી એ તમને ચીપકેલાં રહે છે. દુઃખ અને ઉદાસી આવી ચડે ત્યારે આપણે એને રોકી શકતા નથી પણ એને કેટલો સમય ટકવા દેવા એ ચોક્કસપણે આપણે નક્કી કરી શકીએ. માણસે દુઃખ અને ઉદાસીને પંપાળવાનું બંધ કરવું જોઈએ પણ આપણે એવું કરતા નથી. દુઃખને ઘૂંટયે રાખીએ છીએ અને આપણે ઘૂંટાતા રહીએ છીએ. દરેક માણસને મજામાં રહેવું હોય છે, ખુશ રહેવું હોય છે, જિંદગી જીવવી હોય છે, દરેક પળનો આનંદ માણવો હોય છે પણ એ આવું કરી શકતો નથી. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે માણસે જ્યારે જે છોડવાનું હોય છે એ છોડી શકતો નથી.

માણસ એક સમયે એક જ અવસ્થામાં જીવી શકે છે. કાં તો એ સુખી હોય અથવા દુઃખી, કાં તો એ ઉદાસ હોય અને કાં તો આનંદિત, કાં તો એ મજામાં હોય અને કાં તો ગમમાં, માણસ એક સાથે બે અવસ્થામાં જીવી ન શકે. જિંદગી એ એવું ત્રાજવું છે જેનાં બંને પલડાં ક્યારેય સ્થિર રહેતાં નથી. એ ઉપર-નીચે થતાં જ રહે છે. જ્યાં સુધી ભાર ઓછો ન કરીએ ત્યાં સુધી ત્રાજવાંનું બેલેન્સ બરાબર રહેતું નથી. તમે એક માણસ એવો બતાવો જે એમ કહેતો હોય કે મારે મજામાં નથી રહેવું! તમારે મજામાં રહેવું છે? તો તમને રોકે છે કોણ? આપણે જ આપણને રોકતા હોઈએ છીએ. કેવું છે, આપણે મજામાં હોતા નથી અને આપણી ઉદાસી માટે આપણે કોઈને અને કોઈને દોષ દેતા ફરીએ છીએ. એણે મને દુઃખી કર્યો, એણે મારી સાથે ચીટિંગ કર્યું, એણે મને ખરાબ શબ્દો કહ્યા, એણે મને બધાની વચ્ચે ઉતારી પાડયો, એ મારું ખરાબ જ બોલતો ફરે છે, બધું કોઈક જ કરતા હોય છે પણ તમે શું કરો છો? તમે દુઃખી થાવ છો અને દુઃખી રહેવા માટે કારણ શોધતા ફરો છો. માણસ જ્યાં સુધી બીજાને જ આધાર સમજીને જીવવાનો છે ત્યાં સુધી એ દુઃખી અને હેરાન જ રહેવાનો છે. માણસે પોતે પોતાનો આધાર બનવાનું હોય છે. મારે કેટલું દુઃખી થવું એ મારે નક્કી કરવાનું હોય છે અને મારે કેટલું સુખી રહેવું એ પણ મારા સિવાય કોઈ નક્કી ન કરી શકે.

આપણાં દુઃખ અને આપણી ઉદાસી માટે આપણે પોતે બહુ ઓછાં કારણભૂત હોઈએ છીએ. મોટાભાગે આપણે કોઈએ ઝીંકેલું દુઃખ લઈને ફરતાં હોઈએ છીએ. કોઈ ઉદાસી, નારાજગી, દુઃખ અને અયોગ્ય પ્રતિભાવનું કપડું આપણને ઓઢાડે છે અને આપણે એ કપડું ઓઢીને ફરતાં રહીએ છીએ. બધાને બતાવતાં રહીએ છીએ કે જુઓ પેલો મને કેવું કપડું ઓઢાડી ગયો છે. કોઈ ત્યારે જ આપણને તેનું કપડું ઓઢાડી શકે છે જ્યારે આપણે આપણું કપડું હટાવી દઈએ છીએ. આપણે બસ આપણું કપડું ઓઢી રાખવાનું ધ્યાન રાખવાનું હોય છે. કોઈનાં કપડાંની ચિંતા કરવાની જરૂર હોતી નથી. તમારે બતાવવું હોય તો પોતાનું કપડું બતાવો. બીજાનાં કપડાંને માથે ચડવા ન દો અને ચડી ગયું હોય તો એને ઉખેડીને ફેંકી દો.

એક સરસ મજાની વાર્તા છે. કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું ટાસ્ક આપ્યું. પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા બટાટા લઈ આવજો. એક એક બટાટાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો. બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાની થેલી બતાવી. પ્રોફેસરે કહ્યું કે, બહુ જ સરસ. હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે. બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે, ઓકે. બે-ત્રણ દિવસ તો વાંધો ન આવ્યો પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી. આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ. પ્રોફેસરે હસીને કહ્યું કે, તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે? નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો? એ કોહવાઈ ગયા છે. વાસ આવે છે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે? કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી. જાવ, આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો. સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.

ઘરને આપણે રોજ ચોખ્ખું કરીએ છીએને? આપણી ઓફિસ કે ધંધાના સ્થળને સાફ રાખીએ છીએને? ગંદાં કપડાં બદલી નાખીએ છીએને? આપણી જાત અને આપણા દિલને આપણે સાફ રાખીએ છીએ ખરાં? કોઈ દિવસ ચેક કર્યું છે કે તમારા દિલ પર કેટલો કચરો જામી ગયો છે? જેના ચહેરા પ્રફુલ્લિત ન હોય તેણે સમજી લેવું જોઈએ કે તેના દિલ પર ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં છે અને ચહેરા ઉપર જે દેખાય છે એ તો એનો પડછાયો છે.

એક માળી હતો. તેણે સુંદર બગીચો બનાવ્યો હતો. આ બગીચામાં એક કપલ બેસવા આવતું. જૂની વાતો કરીને એ બંને રોજ ઝઘડતાં રહેતાં. માળી તેને રોજ સમજાવતો કે જવા દોને જે વાત પતી ગઈ એને ભૂલી જાવ. ખંખેરી નાખો. આ કપલ એ માળીની વાત કાને ધરતું નહીં. આખરે માળીએ કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો. બીજા દિવસથી માળીએ એને કંઈ પણ કહેવાનું બંધ કર્યું. સાથોસાથ બગીચો સાફ કરવાનું પણ બંધ કરી દીધું. ચાર-પાંચ દિવસમાં તો બગીચો પાંદડાં અને ગંદકીથી ઉભરાવવા લાગ્યો. એક અઠવાડિયામાં તો બગીચામાં બેસી ન શકાય એવી હાલત થઈ ગઈ. આખરે એ કપલે માળીને કહ્યું કે તને શું થયું છે? કેમ બગીચો સાફ નથી કરતો? આ જો બગીચાની હાલત કેવી થઈ ગઈ છેમાળીએ એટલું જ કહ્યું કે હું પણ તમને કેટલાંય દિવસથી કહું છું પણ તમે કેમ દિલને સાફ નથી કરતાં?

જો તમે દુઃખી કે ઉદાસ હોવ તો યાદ રાખજો કે માત્ર અને માત્ર તમે જ તેના માટે જવાબદાર અને કારણભૂત છો. કોઈના પર તમારા દુઃખના દોષનો ટોપલો ઓઢાડી તમે તમારો બચાવ ન કરી શકો. દરેક વાતનો એક અંત હોવો જોઈએ. અમુક ઘટના અને પ્રસંગો ચોક્કસપણે દુઃખ આપે એવાં હોય છે. એના માટે દુઃખ થાય એ પણ સ્વાભાવિક છે પણ એને પકડી ન રાખો. છોડી દો. ખંખેરી નાખો. મુક્ત થઈ જાવ. હળવાશ ફિલ કરો. નક્કી કરો કે હું મજામાં, ખુશ અને સુખી રહીશ. તમારે ન થવું હોય તો કોઈ તમને દુઃખી કરે એ વાતમાં માલ નથી. બસ, એટલું નક્કી કરી લો કે મારે દુઃખી નથી થવું અને મારે ઉદાસ નથી રહેવું. જિંદગી તમારી છે, એ તમારી રીતે જ જીવી લો.

આપણાં દુઃખ અને આપણી ઉદાસી માટે આપણે પોતે બહુ ઓછાં કારણભૂત હોઈએ છીએ. મોટાભાગે આપણે કોઈએ ઝીંકેલું દુઃખ લઈને ફરતાં હોઈએ છીએ